Wednesday 8 June 2011

કાન્હા કહે છે...............

કાન્હા કહે છે...............
 હું ના હોત તો ગોકુલ ગોકુળિયું ગામ નાં હોત !
વૃંદાવન ના વાયરા આમ વેણું વાતા ના હોત !
ના માખણ ચોરત ના ચીર હરત
તો ગોપીયો તમે રાજી ના હોત !
ના મટકી ફોડત ના ગગરી તોડત.
 તો માતા ને ફરિયાદ કરતા ના હોત !
બંસરી ના સુર ના છેડત જમના કિનારે
 તો રાધાને તમે છેડતા નાં હોત !
રાસલીલા જો નાં રચાવત તુલસીવન
તો નિજાનંદ માં તમે મસ્ત બન્યા ના હોત !
કહો ગોપીઓ શું કરત તમે ?
જો હું વૃંદાવન વિહારી નાં હોત
.......સરલ સુતરિયા......

1 comment:

  1. આપને ખુબ ખુબ શુભેચ્છાઓ ... પ્રભુ ને પ્રાર્થના કે તેઓ આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે..

    ReplyDelete