Sunday 11 September 2011

આવે જો તું

આવે જો તું મારા મનસાગરની પાળે
તો ઓટ વેળાયે  ય  ભરતીનું વહેણ.
.
મારા અંતરબાગમાં આંટો જો તું મારે
તો કરમાયેલા ફુલ ખીલી થાયે કરેણ.
.
તુજ વિણ ઝુરે હ્રદય જાણે કો અંધારી ખાઇ
જો તું આવે તો અમાસની રાતે ય પ્રકાશે ચન્દ્રરેણ
.
તુજ વિચારની વાટે ઉમટે કોલાહલ મમ હ્રદયમાં
જો તું આવે તો હૈયાની હાટે પ્રગટે કલરવ કહેણ
.......................... સરલ સુતરિયા......

1 comment: