Wednesday 8 June 2011

એમ પુછીને થાય નહી પ્રેમ ....





શ્રી નીશીતજી ની કવિતા '' પુછ્યું છે ક્યારેય ?'' પર મે લખેલી કોમેંટ .....
.
એમ પુછીને થાય નહી પ્રેમ
આ તો દિલ મળવાની વાત છે
.
સુરજ ઉગતાં જ પ્રકાશ ફેલાય
એમાં સાથ પામવાની વાત છે .
.
વહે નદી તો મળે જ સાગરને
એમાં ક્યા કોઇ વહેમની વાત છે !
.
છલકાય લાગણી તો અશ્રુ ભરે આંખ
એમાં જ હ્રદયના હાશકારાની વાત છે
.
જલે શમા ને ના આવે પરવાના ?
એમાં તો ક્યા કોઇ સવાલની વાત છે
.
ખિલેલા ફુલને ચુમે પતંગિયા
એમાં ક્યા કોઇ અચરજની વાત છે
.
ચાંદ ચમકે ને ચાંદની મહેકે
એમાં જ તો પ્રેમની શાશ્વત વાત છે....
.............સરલ સુતરિયા ......



No comments:

Post a Comment